Maharishi Patanjali Pratipadit Ashtanga Yoga - cover

Maharishi Patanjali Pratipadit Ashtanga Yoga

Akash Kahar

  • 13 oktober 2023
  • 9789356593985
Wil ik lezen
  • Wil ik lezen
  • Aan het lezen
  • Gelezen
  • Verwijderen

Samenvatting:

મહર્ષિ પતંજલિ પ્રતિપાદિત અષ્ટાંગ યોગ :

મહર્ષિ પતંજલિ કૃત અષ્ટાંગ યોગ ના સંસ્કૃત ષ્લોક નું ગુજરાતી ભાષામાં સચોટ અને શુદ્ધ અનુવાદન તથા અષ્ટાંગ યોગ ના દરેક અંગ નું વિસ્તૃત વર્ણન સાથે વિવેચન.

અષ્ટાંગ યોગ એ વાંચન કે પ્રવચન ને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે.

મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા મુજ્બ ચિત્તવૃત્તિઓના નિરોધથી યોગની પ્રાપ્તિ થાય છે. તેની પદ્ધતિ એટલે અષ્ટાંગ યોગ. આ આઠ સોપાન એટલા મહત્વના છે કે તેના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરીને એને સમાધિ સુધીની સર્વોચ્ચ કક્ષાએ લઈ જઈને પરમ તત્વ સાથે એનું અનુસંધાન કરાવી શકાય છે.

અષ્ટાંગ યોગ એ અલગ અલગ આઠ પગથીયાનો માર્ગ નથી પણ આઠ પરિમાણોનો માર્ગ છે, જેમાં આઠેય પરિમાણોનો અભ્યાસ કરવામાં આવે છે.
અષ્ટાંગયોગ ના આ આઠ અંગ છે :

૧. યમ,

૨. નિયમ,

૩. આસન,

૪. પ્રાણાયામ,

૫. પ્રત્યાહાર,

૬. ધારણા,

૭. ધ્યાન અને

૮. સમાધિ.

અષ્ટાંગયોગનું પ્રથમ અંગ છે યમ:

ભારતીય સંસ્કૃતિમાં હંમેશા સત્ય બોલવા અને આચરવા પર ભાર મુકવામાં આવ્યો છે. મન, કર્મ , વચન થી કોઈપણ પ્રકારની હિંસા ન થાય તે અંગે જાગૃત રહેવું, આ ઉપરાંત ચોરી ન કરવી અને ખોટો સંગ્રહ ન કરવો. વ્યક્તિ પોતાની ઈંદ્રિયો પર કાબુ રાખીને બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે.

યમના પાંચ વિભાગ છે -

૧. સત્ય,

૨. અહિંસા,

૩. અસ્તેય,
૪. અપરિગહ,

૫. બ્રહ્મચર્ય,.

અષ્ટાંગયોગનું બીજું અંગ છે નિયમ :

નિયમના પણ પાંચ પ્રકાર છે. આ નિયમો છે જે જીવનને વધુ સરળ અને ખુશહાલ બનાવવામાટે વ્યક્તિએ પાડવા જોઈએ

૧. શૌચ ,

૨. સંતોષ ,

૩. તપ ,

૪. સ્વાધ્યાય,

૫. ઈશ્વરપ્રણિધાન ,

અષ્ટાંગયોગનું ત્રીજું અંગ છે આસન :

શરીર પર નિયંત્રણ રહેવાથી વ્યક્તિગત સ્વ અને સાર્વત્રિક સ્વનું એકીકરણ થઈ શકે છે .

અષ્ટાંગયોગનું ચોથું અંગ છે પ્રાણાયામ :

શ્વાસોચ્છવાસની સ્વાભાવિક ક્રિયાનું નિયંત્રણ અને તેમાં નિયમિત ક્રમ લાવવો એ અષ્ટાંગ યોગનું ચોથું અંગ છે , જેને પ્રાણાયામ કહીએ છીએ તેના ત્રણ ભાગ છે . પૂરક , કુમ્ભક અને રેચક

અષ્ટાંગયોગનું પાંચમું અંગ છે પ્રત્યાહાર :

વ્યક્તિએ પોતાની ઇન્દ્રિઓને કાબુમાં રાખી તેના મૂળ સ્ત્રોત સાથે ફરી જોડાય તે પ્રમાણે વાળવાની છે. બાહ્ય વિષયોમાંથી મુક્ત થઈ અંતર્મુખી બનવાની અવસ્થા એટલે પ્રત્યાહાર

અષ્ટાંગયોગનું છઠ્ઠુ અંગ છે ધારણા:

ધારણા એટલે ચિત્તને કોઈ એક પદાર્થ પર સ્થિર કરી ધ્યેયને ધારણ કરવું. ચિત્ત , નાભિ , હૃદય , ભૂકુટિ - મધ્ય કે શરીરના અન્ય અંગ પર કેન્દ્રિત થવું.

અષ્ટાંગયોગનું સાતમું અંગ છે ધ્યાન:

ધ્યાન એટલે ચિત્તને સ્થિર કરીને લાંબો સમય ટકાવી રાખવું . બધી જ વસ્તુઓ પર થી કોઈ એક જ વસ્તુ પર એકાગ્ર થવાથી ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય છે .

અષ્ટાંગયોગનું આઠમું અંગ છે સમાધિ:

સમાધિ એ અષ્ટાંગયોગનું છેલ્લું સર્વોચ્ચ સોપાન છે.

સમાધિ અવસ્થામાં કેવળ ધ્યેય વસ્તુની જ ચેતના રહે છે . સમાધિમાં આત્મા અને ધ્યાનની ક્રિયાનો જાણે લોપ થઈ જાય છે કેવળ ધ્યેય વસ્તુનો જ પ્રકાશ રહે છે જેને આપણે પરમ તત્ત્વ કહીએ છીએ .

યોગનું મુખ્ય ધ્યેય ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને નાબુદ કરી, વ્યક્તિત્વ ના વિકાસમાંઉપયોગી બને એવા વિચારોને સ્થિર કરવાનું છે.

અષ્ટાંગ યોગ એ વાંચન કે પ્રવચન ને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે.

We gebruiken cookies om er zeker van te zijn dat je onze website zo goed mogelijk beleeft. Als je deze website blijft gebruiken gaan we ervan uit dat je dat goed vindt. Ok